રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા6 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ જિલ્લાના સિધ્ધપુરથી ૪૨ વર્ષથી માઁ અંબાના દર્શને પધારતો જય અંબે પગપાળા સંઘ

પાટણ જિલ્લાના સિધ્ધપુરથી ૪૨ વર્ષથી માઁ અંબાના દર્શને પધારતો જય અંબે પગપાળા સંઘ
સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને માઁ અંબાના દર્શને પહોંચ્યો જય અંબે પગપાળા સંઘ; ભાદરવી પૂનમ મહામેળામાં માઁ અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુ માઁ અંબાના મંદિરમાં શિશ ઝુકાવી દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના સિધ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ માઁ અંબાના દર્શને આજે આવી પહોંચ્યો છે. જય અંબે પગપાળા સંઘના પદયાત્રી દિનેશભાઈ પટેલ જણાવે છે કે, અમે સિદ્ધપુરથી 42 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ. 400 થી 500 જેટલા પદયાત્રીઓ સાથે અમારો સંઘ માં અંબાના દર્શને આવે છે. બે વખત અમે સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને મા અંબાના દર્શને આવ્યા છીએ આ વખતે પણ અમારો સંઘ સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈ શ્રદ્ધાથી માઁ અંબાના ધામે પહોંચ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારો સંઘ કોઈપણ પ્રકારની તકલીફ વિના માઁ અંબાના નિજધામમાં આજે પહોંચી ગયો છે. આ દરમિયાન વચ્ચે અનેક સેવા કેમ્પો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે આ સેવાઓનો લાભ અમારા સંઘને પણ મળ્યો છે અને તંત્ર દ્વારા પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે પણ જેથી અમને કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી.

સંબંધિત સમાચાર