રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ11 જૂન, 2025| Super Admin

હારીજના કુકરાણા ગામે મંદીર ચોરીના બનાવને અંજામ આપી તસ્કરોએ મંદિરની તોડફોડ કરી

હારીજના કુકરાણા ગામે મંદીર ચોરીના બનાવને અંજામ આપી તસ્કરોએ મંદિરની તોડફોડ કરી
હારીજના કુકરાણા ગામના રબારી વાસના રહેણાંક મકાનની ખુલ્લી ઓસરીમાં સ્થાપિત વહાણવટી સિકોતર માતાજીના મંદિરને કોઈ તસ્કર ટોળકીએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ હારીજ ના કુકરાણા ગામના રબારી વાસના રહેણાંક મકાનની ખુલ્લી જગ્યામાં આવેલ વહાણવટી સિકોતર માતાજીના મંદિરને કોઈ તસ્કર ટોળકીએ નિશાન બનાવી મંદિરમાં રાખેલી દાન પેટીમાંથી રોકડ રકમ અને માતાજીના ચાંદીના છત્તરની ચોરી કરી લોખંડના હથિયાર વડે મંદિરને નુકસાન પહોંચાડી તસ્કરો ફરાર થઈ જતાં અને મોડી રાત્રે બનેલી. આ ઘટનાની જાણ સવારે કુટુંબીજનોને થતાં તેઓએ ઘટના સ્થળે દોડી આવી કુળદેવી માતાજીનું મંદિર જમીન દોસ્ત હાલતમાં જોઈને નાણેચા સમાજ અને પરિવારજનોની લાગણી દુભાઈ હતી.આ ધટના અંગે નાણેચા ગોવિંદભાઈએ હારીજ પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ મંદિર ચોરીને અંજામ આપી મંદિરની તોડફોડ કરી પલાયન થયેલ તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર