રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ16 મે, 2026| Super Admin

સરસ્વતીના ખારેડામાં લગ્ન પ્રસંગે ડીજે/સંગીત બંધ કરાવવા મામલે જૂથ અથડામણ

સરસ્વતીના ખારેડામાં લગ્ન પ્રસંગે ડીજે/સંગીત બંધ કરાવવા મામલે જૂથ અથડામણ

વરપક્ષના યુવક પર છરી વડે હુમલો કરાતા હોસ્પિટલમાં દાખલ કરાયો

સરસ્વતી તાલુકાના ખારેડા ગામે લગ્નપ્રસંગમાં આવેલા તરતડીયા વગાડવા વાળા માણસોને જમવા માટે સંગીત બંધ કરાવવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને ત્રણ શખ્સોએ એક યુવકને ગડદાપાટુનો માર મારી માથામાં છરી ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે વાગડોદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ખોડાણા ગામના હિતેશજી પ્રધાનજી ઠાકોરના કુટુંબી કાકાના દીકરા ચેતનજી ઠાકોરની જાન 10/05/2026ના રોજ ખોડાણાથી ખારેડા ગામે ગઈ હતી. બપોરે આશરે 12 વાગ્યાના સુમારે જાનમાં લાવેલા તરતડીયા વગાડવા વાળા માણસોને જમવાનો સમય થયો હોવાથી સંગીત વગાડવાનું બંધ કરવામાં આવ્યું હતું. આ બાબતે ખારેડા ગામના પ્રકાશજી પોપટજી ઠાકોર, અલ્પેશજી પોપટજી ઠાકોર અને સેણાજી બદાજી ઠાકોરે સંગીત કેમ બંધ કર્યું તેમ કહી પૂછપરછ કરી હતી. જાનૈયાઓએ જમવા માટે બંધ કર્યું હોવાનું કહેતા પ્રકાશજી ઠાકોર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.

યુવકે ગાળો બોલવાની ના પાડતા અલ્પેશજી અને સેણાજી પણ પ્રકાશજીની વહારે આવ્યા હતા અને યુવકને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન પ્રકાશજીએ પોતાના હાથમાં રહેલી છરી યુવકના માથાના ભાગે મારી દીધી હતી. લગ્નપ્રસંગમાં હોબાળો મચી જતાં યુવકના માતા-પિતા અને ભાઈ દોડી આવ્યા હતા અને તેને વધુ માર મારવામાંથી છોડાવ્યો હતો. હુમલો કરનાર શખ્સોએ જતા-જતા યુવકને જાનથી મારી નાખવાની ધાક-ધમકી પણ આપી હતી.ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ખારેડાથી ખાનગી વાહન દ્વારા હોસ્પિટલ લઈ જઈ પ્રાથમિક સારવાર અપાઈ હતી. આ મામલે સામાજિક સ્તરે સમાધાનની વાતચીત ચાલતી હોવાથી પોલીસ ફરિયાદમાં વિલંબ થયો હતો. જોકે, સમાધાન ન થતાં અને યુવકને માથામાં અસહ્ય દુખાવો ઉપડતા તેને પાટણની  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે વાગડોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Saraswati

સંબંધિત સમાચાર