ઊંઝા શહેરમાં બનતું કચરિયું ઉત્તર ગુજરાતમાં મશહુર છે. એશિયાના નંબર વન ગણાતા ઊંઝા માર્કેટ વાડમાં મસાલા માર્કેટ હોવાથી તલની આવક વધુ થાય છે. જેને લઈ ઊંઝામાં ઠેરઠેર કચરિયાની ઘાણીઓ શરૂ થઇ છે. ઊંઝાના કચરિયાની ગુજરાતના ખૂણેખૂણે માંગ રહે છે. કચરિયુએ શિયાળાનું મિસ્ટાન માનવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડી શરૂઆત થતાં જ કચરીયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી છે. શિયાળામાં કચરિયું ખાવાના અનેક લાભો પણ છે. ત્યારે આપણા ઉત્તર ગુજરાતમાં નામના મેળવી ચૂકેલા ઊંઝાના કચેરિયાની ખુબજ ડિમાન્ડ છે. હાલ ઊંઝા શહેરનાં બજાર વિસ્તાર સરદાર ચોકથી લઈ ગાંધીચોક સુધીનાં વિસ્તારમાં ઠેરઠેર કચરિયાની ધાણીઓ શરૂ થઇ છે. શિયાળામાં કચરિયું સ્વસ્થ માટે ફાયદાકારક છે. ગરમ મસાલાવાળું કચરિયું સ્વસ્થ માટે ગુણકારી માનવામાં આવે છે. શિયાળામાં કચરિયું સ્વાસ્થ માટે એનર્જી બુસ્ટર છે. ઊંઝા શહેરમાં હાઇવેથી લઈ સ્ટેશન રોડ સહિત અલગ અલગ જગ્યાએ કુલ 25 થી વધુ ઘાણીઓ ધમધમી રહી છે. આ બે માસનો સિઝનેબલ ધંધો છે. કચેરીયાની ઘાણી પર રોજનું 500 થી 600 કિલોનું કચરિયાનું વેચાણ થાય છે. જ્યાં ઊંઝા શહેર સહિત તાલુકાના લોકો આ વસાણાનો ઉપયોગ કરે છે. રમેશભાઇ તલાટીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઘરાકી ઓછી છે. ભાવમાં રૂપિયા 200 થી 260 સુધીનો કચરીયાનો ભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખજૂર પાક તેમજ મેથી પાકના લાડુ અને વિવિધ ચીકીઓનું વેચાણ કરીએ છીએ.
ઊંઝા શહેરમાં ઠેર ઠેર કચરિયાની ઘાણીઓ ધમધમી ઉઠી

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા: ONGCનું વળતર મેળવવા કૌભાંડ રચનારને મોટો ઝટકો, કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા-ઊંઝા હાઈવે પર રક્તરંજિત અકસ્માત: લક્ઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રકમાં ઘૂસી
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા કોર્ટના આદેશનું ઉલ્લંઘન ભારે પડ્યું, ધરોઈ સિંચાઈ વિભાગની કચેરીનો સામાન સીલ
1 દિવસ પહેલા
મહેસાણાવડનગરના શાહપુરમાં ખનીજ માફિયાઓ પર તરાપ, ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
