પાલનપુર-અમદાવાદ હાઈવે પર ઇસબી પુરા પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડ સફાઈના કામ માટે જઈ રહેલા શ્રમિકોને લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલીને એક જીપે પાછળથી ટક્કર મારતાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં એક 8 વર્ષનું બાળક અને એક આધેડનો સમાવેશ થાય છે. આ શ્રમિકો રોડ સફાઈનું કામ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે.
પાલનપુર-અમદાવાદ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેના મોત, 4 ઘાયલ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
