રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા26 ઑગસ્ટ, 2026| Super Admin

પાલનપુરમાં પીવાના પાણીની સુવિધા અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે નવા કામોનું ખાતમુહૂર્ત

પાલનપુરમાં પીવાના પાણીની સુવિધા અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે નવા કામોનું ખાતમુહૂર્ત

રૂ. 42 લાખના ખર્ચે 9 વોટર રિચાર્જ સ્ટ્રક્ચર અને રૂ. 20 લાખના ખર્ચે 3 નવા પીવાના પાણીના બોર બનશે

પાલનપુર શહેરમાં પીવાના પાણીની સુવિધાને વધુ મજબૂત બનાવવા તેમજ ભૂગર્ભ જળસ્તર જાળવવાના હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત રવિવારે તાજપુરા ખાતે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ શ્લો એક્વિફેર મેનેજમેન્ટ 2.0 અંતર્ગત શહેરમાં કુલ રૂ. 42 લાખના ખર્ચે 9 વોટર રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. આ સ્ટ્રક્ચરના નિર્માણથી વરસાદી પાણીના સંગ્રહ તેમજ ભૂગર્ભ જળના રિચાર્જને પ્રોત્સાહન મળશે અને શહેરના ભૂગર્ભ જળસ્તરને જાળવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત વ્યવસાયવેરા યોજના સને 2025-26ની ગ્રાન્ટ હેઠળ રૂ. 20 લાખના ખર્ચે તાજપુરા, સુખબાગ રોડ અને કૈલાસ વાટિકા નજીક કુલ 3 નવા પીવાના પાણીના બોર બનાવવામાં આવશે. આ બોરના નિર્માણથી સંબંધિત વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધામાં વધારો થવાની અપેક્ષા છે.

શરણાઈ વાડી, તાજપુરા ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમ માં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલિકા પ્રમુખ સુનિતાબેન પટેલ, ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકી, કારીબારી ચેરમેન નાગજી દેસાઈ, પાણી પુરવઠા કમિટી ચેરમેન ગીતાબેન પુરોહિત, પૂર્વ પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી સહિત પાલિકાના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર