રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ17 માર્ચ, 2025| Super Admin

ચાણસ્મા ના સેલાવી ગામના માગૅ પરની પેપર મીલમા કચરો સળગાવતા ત્રણ ખેતરોમા આગ લાગી

ચાણસ્મા ના સેલાવી ગામના માગૅ પરની પેપર મીલમા કચરો સળગાવતા ત્રણ ખેતરોમા આગ લાગી
ખેતરમાં વાવેતર કરેલ મેથીના પાક બળીને ખાખ થતાં ખેડૂતો ભારે નુકશાન; પાટણ જિલ્લાનાચાણસ્મા તાલુકાના સેલાવી રોડ પર આવેલી પેપર મિલમાં કચરો સળગાવવાથી મીલની આસપાસના ખેતરોમાં આગ લાગતા ખેડૂતો ને ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તો આ આગના કારણે ધૂમાડાના ગોટેગોટા ઉચા આકાશ મા ઉઠતા અફડા તફડી સાથે લોકોના ટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતાં. અને આ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ ને જાણ કરવાની સાથે સ્થાનિક પાણીના ટેન્કરો મારફતે આગ ઓલવવા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના સેલાવી માગૅ પર આવેલ પેપર મિલમાં એકત્ર કરાયેલા કચરો કોઈ કારણસર રવિવારે  સળગાવતા આગના તણખા નજીકના ખેતરમાં ભેગો કરેલા મેથીના પાક પર પડ્તા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને એક પછી એક એમ ત્રણ ખેતરોમાં આગ ફેલાઈ ગઈ હતી. આ આગ ઘટનાથી વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો આગ લાગેલ ખેતરના ખેડૂત પટેલ ભરતભાઈ કાશીરામના જણાવ્યા મુજબ, તેમના અને તેમના પડોશી નવનીતભાઈના બે-બે વીઘા તેમજ અનિલભાઈના દોઢ વીઘા ખેતરમાં મેથીનું વાવેતર કરવામાં આવ્યું હતું. આગની ઘટનામાં ત્રણેય ખેડૂતોને અંદાજે દોઢ લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ભરતભાઈ અને અન્ય બે ખેડૂતોને 50-50 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું. લણણીની તૈયારીમાં રહેલો મેથીનો આખો પાક આગમાં બળીને ખાક થઈ ગયો હોય ખેડૂતો ને ભારે નુકશાન સાથે આ ઘટના પેપર મિલ દ્વારા યોગ્ય સાવચેતી વગર કચરો સળગાવવાને કારણે બની હોવાના આક્ષેપ ઉઠવા પામ્યાં છે.

સંબંધિત સમાચાર