પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર-દૂર સુધી ધુમાડાના વાદળો ઉછળતા દેખાતા હતા. અગ્નિની તેજ જ્વાળાઓ પ્રસરવા લાગી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. મળતી માહિતી મુજબ, આ આગ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 19માં લાગી હતી. ફાયરની ચાર ગાડીઓએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. હાલમાં આગના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. પંડાલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયાની પણ ચર્ચા છે પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી મુજબ પંડાલનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. કહેવાય છે કે આ એક મોટી આગ હતી પરંતુ ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે તરત જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
પ્રયાગરાજના મહાકુંભ મેળામાં આગ આવી કાબૂમાં, જાનહાનિ ટળી

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયNSG અધિકારી રવિ કુમાર રાય શર્માએ UPPSC PCS 2024 પાસ કર્યું, 64મા રેન્ક સાથે BDO બન્યા
4 કલાક પહેલા
રાષ્ટ્રીયપુત્રવધૂએ સસરાના ગુપ્તાંગ પર હુમલો કર્યો, લોહીની ઉલટીઓ થતાં સસરાના મોત
5 કલાક પહેલા
રાષ્ટ્રીયચોરીની શંકામાં દુકાનદારે 7 વર્ષના બાળકને ડીપ ફ્રીઝરમાં બંધ કરી દીધો
5 કલાક પહેલા
રાષ્ટ્રીય2 વર્ષમાં 57 ટકાનો વધારો, શા માટે સરકાર ચૂપ છે? સલવાન પબ્લિક સ્કૂલમાં ફી વધારાના વિરોધમાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું
6 કલાક પહેલા
