રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ6 મે, 2026| Super Admin

પાટણ તાલુકાની મેસર દૂધ મંડળીમાં ભ્રષ્ટાચાર મામલે રજૂઆત કરવી ભારે પડી: પ્રમુખ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો, પંથકમાં ચકચાર

પાટણ તાલુકાની મેસર દૂધ મંડળીમાં ભ્રષ્ટાચાર મામલે રજૂઆત કરવી ભારે પડી: પ્રમુખ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો, પંથકમાં ચકચાર

પાટણ તાલુકાના મેસર ગામે દૂધ મંડળીના પ્રમુખ પર ચાર શખ્સોએ હુમલો કર્યો છે. ડેરીમાં ચાલતી ગેરરીતિઓ અંગે અરજી કરવાના મનદુઃખમાં આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખને છરી વડે ઇજા પહોંચાડવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ ઘટના અંગે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.મેસર ગામના રહેવાસી અને દૂધ મંડળીના પ્રમુખ ફતેસંગજી દલસાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે તા. 23 એપ્રિલ, 2026 ના રોજ બપોરે તેઓ ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગામની મધુવન ડેરી પાસે ચાર શખ્સો જયંતીભાઈ ઉજાભાઈ પટેલ,અરવિંદજી વણવીરજી ઠાકોર, જયંતીભાઈ પરાગભાઈ પટેલ અને કાંતીભાઈ અમરાભાઈ પટેલે તેઓને રોકી તેમની સાથે બોલાચાલી કરી જમણા હાથની આંગળી પર છરી વડે હુમલો કરી ઇજા પહોં ચાડી ગડદાપાટુનો માર માર્યો હતો. 

આ હુમલા દરમ્યાન તેઓએ બુમાબુમ કરતાં તેમના કાકાના દીકરા પ્રભાતજી ઠાકોર અને અન્ય લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેઓને જોઈને ઉપરોક્ત ચારેય ઈસમો ત્યાંથી નાસી ગયા હતા, પરંતુ જતા પહેલા તેમણે ફતેસંગજીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓ ડેરીમાં દૂધમાં ભેળસેળ અને ચોરી કરતા હતા, તેમજ ખોટા નામે દૂધ ભરાવી ગેરરીતિ આચરતા હતા. આ અંગે ફતેસંગજીએ પાટણ હાંસાપુર દૂધ સાગર ડેરીમાં લેખિત અરજી કરી હતી, જેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. વાગડોદ પોલીસે આ  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર