પાટણ જિલ્લામાં વસવાટ કરતા લોકો મુખ્યત્વે ખેતી અને તેના સંબંધિત વ્યવસાય પર નિર્ભર છે. ખેડૂતોને ખેતી માટે સહાયરૂપ બને તે માટે સરકાર દ્વારા તાજેતરમાં ટ્રેક્ટર ખરીદી પર રૂ.૧ લાખ સુધીની સબસિડીની જાહેરાત કરી હતી. આ યોજનાનો લાભ મળતાં જિલ્લામાં ટ્રેક્ટર વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.નવરાત્રી પછી ૨૨ સપ્ટેમ્બર થી ૧૫ ઓક્ટોબર સુધીના સમય ગાળામાં કુલ ૧૫૮ ટ્રેક્ટરનું વેચાણ થયું છે. પાટણ જિલ્લાના ટ્રેક્ટરનાં ડીલરો એ જણાવ્યું હતું કે આ વર્ષે ખેડૂતોને બે મહત્ત્વના લાભ મળ્યા છે.પ્રથમ તો સબસિડીમાં રૂ.૧ લાખનો વધારો, અને બીજું જીએસટીમાં રાહત, જેના કારણે નાના ટ્રેક્ટર પર રૂ.૨૫ હજાર થી લઈ મોટા ટ્રેકટર રૂ.૬૪ હજાર સુધી કિંમતમાં ઘટાડો થયો છે. આ બંને રાહતોના પરિણામે ખેડૂતોમાં ખરીદીનો ઉત્સાહ વધ્યો છે
પાટણ જિલ્લામાં GST માં ઘટાડા સાથે ખેડૂતોએ ૨૨ દિવસમાં ૧૫૮ ટ્રેક્ટર ખરીદયા

સંબંધિત સમાચાર
પાટણવડાવલી તળાવમાં માટી ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા યુવાન દટાયો
1 દિવસ પહેલા
પાટણચાણસ્મામાં પ્રેમ સંબંધની અદાવત લોહીયાળ બની: એક જ પરિવારના સભ્યો પર ત્રણ શખ્સોનો હુમલો
1 દિવસ પહેલા
પાટણગ્રીન એનર્જી તરફ ડગલું: પાટણ યુનિવર્સિટી હવે સૌર ઊર્જાથી ઝળહળશે, રાજ્યની પ્રથમ સોલાર યુનિવર્સિટી બનશે
1 દિવસ પહેલા
પાટણરાધનપુરમાં શિક્ષકની જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
1 દિવસ પહેલા
