રખેવાળ
બ્રેકિંગ
પાટણ23 ઑગસ્ટ, 2025| Super Admin

વારાહી નજીક માનપુરા ગામના પાટિયા નજીક અર્ટિગા કાર આગ લાગી; ત્રણ લોકોનો આબાદ બચાવ

વારાહી નજીક માનપુરા ગામના પાટિયા નજીક અર્ટિગા કાર આગ લાગી; ત્રણ લોકોનો આબાદ બચાવ
કારમાં બેઠેલા ત્રણેય શખ્સો સિફતપૂર્વક બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો; પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વારાહી નજીક માનપુરા ગામના પાટિયા પાસે એક અર્ટિગા કાર આગની લપેટમાં આવી જતાં અફડાતફડી મચી જવા પામી હતી. ભુજથી આવી રહેલી આ અર્ટિગા ગાડી નં MP-09 WJ 0279 હાઇવે પર દોડી રહી હતી ત્યારે તેના એન્જિન માંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.થોડી જ વારમાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં સવાર ત્રણેય મુસાફરો સમયસૂચકતા વાપરીને તરત જ ગાડી માથી બહાર નીકળી  જતાં તેઓનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે અર્ટિગા કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને પણ તરત જ જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળ ની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર