પાટણ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જર્જરીત બનેલા મકાનો ધરાશાયી બનવાની ધટનાઓ પ્રકાશમાં આવવા પામી છે. પાટણ શહેરમાં શુક્રવારની રાત્રે પડેલા મુશળધાર વરસાદના કારણે શહેરના વીજળી કુવા વિસ્તારમાં હીરા મોતીની ખડકી પાસે જર્જરીત હાલતમાં ઉભેલ એક મકાન ધરાશાયી થતાં અફડાતફડી મચી જવા પામી હતી. 30.jpg168.15 KBજોકે આ મકાન ધરાશાયી બન્યું ત્યારે સ્થળની આજુબાજુ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાન હાની ટળી હતી. તો બીજી તરફ શહેરના મોટા ટાકવાડા વિસ્તારમાં વરસાદના કારણે બે મોટા ભુવા પડવાની સમસ્યા સર્જાતા બાજુમાં રહેલા બે મકાનો પણ પડી જવાની સ્થિતિ એ ઊભા છે.31.jpg204.23 KB ત્યારે પાલિકા તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં જજૅરીત બનેલા અને પડવાના વાકે ઉભેલા મકાનોનો સર્વે હાથ ધરી આવા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ આપી તાત્કાલિક ધોરણે મકાન ઉતારી લેવાની ફરજ પાડવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બનવા પામી છે.