રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
પાટણ4 જુલાઈ, 2026| Super Admin

પાટણમાં હીરા મોતીની ખડકી પાસે જર્જરીત મકાન ધરાશાયી; જાનહાનિ ટળી

પાટણમાં હીરા મોતીની ખડકી પાસે જર્જરીત મકાન ધરાશાયી; જાનહાનિ ટળી

મોટા ટાકવાડા વિસ્તારમાં બે મોટા ભુવા પડતા બાજુમાં આવેલ મકાનો પડે તેવી વકી

પાલિકા તંત્ર જર્જરીત મકાનનો સર્વે હાથ ધરી જજૅરીત મકાનો ઉતારી લેવા મકાન માલિકોને ફરજ પાડે તેવી લોક માંગ ઉઠી

પાટણ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જર્જરીત બનેલા મકાનો ધરાશાયી બનવાની ધટનાઓ પ્રકાશમાં આવવા પામી છે. પાટણ શહેરમાં શુક્રવારની રાત્રે પડેલા મુશળધાર વરસાદના કારણે શહેરના વીજળી કુવા વિસ્તારમાં હીરા મોતીની ખડકી પાસે જર્જરીત હાલતમાં ઉભેલ એક મકાન ધરાશાયી થતાં અફડાતફડી મચી જવા પામી હતી.

30.jpg 168.15 KB
જોકે આ મકાન ધરાશાયી બન્યું ત્યારે સ્થળની આજુબાજુ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાન હાની ટળી હતી. તો બીજી તરફ શહેરના મોટા ટાકવાડા વિસ્તારમાં  વરસાદના કારણે બે મોટા ભુવા પડવાની સમસ્યા સર્જાતા બાજુમાં રહેલા બે મકાનો પણ પડી જવાની સ્થિતિ એ ઊભા છે.
31.jpg 204.23 KB
 ત્યારે પાલિકા તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં જજૅરીત બનેલા અને પડવાના વાકે ઉભેલા મકાનોનો સર્વે હાથ ધરી આવા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ આપી તાત્કાલિક ધોરણે મકાન ઉતારી લેવાની ફરજ પાડવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બનવા પામી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર