ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જાહેર રાજમાર્ગ પર આવેલ ઊભેલો જુનો વીજપોલ નીચેથી તૂટી ગયો હોઈ જે જોખમરૂપ હોઈ નવો વીજપોલ નાખવા ઐઠોરના પૂર્વ સરપંચ સહિત ગ્રામજનો દ્વારા લોકમાંગ ઉઠી છે. ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જાહેરમાં રાજમાર્ગ પર ઉભેલો જુનો વીજપોલ નીચેથી તૂટી ગયો છે. જેને વર્ષો પહેલો રિપેર કરેલો પરતું હાલમાં વીજપોલ નીચેથી બ્રેક થયેલ છે. આ વીજપોલ પર ત્રણ લાઇન જોઇન્ટ કરેલી છે જે રાહદારીઓ નીચેથી જાય છે. બાજુમાં આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા આવેલી છે. બાજુમા ચામુંડા માતાજીનું મંદિર પણ આવેલું છે. વાહનો પણ પસાર થાય છે. જેથી જીઇબી દ્રારા સત્વરે નવો વીજપોલ નાખે જેથી અકસ્માતના સર્જાય તેવી શક્યતા હોય સત્વરે વીજ પોલ નાખવા ઐઠોર ગામના જાગૃત નાગરિક અને પૂર્વ સરપંચ સહિત ગ્રામજનોની લોકમાંગ ઉઠી છે.
ઐઠોર ગામે જોખમી વીજપોલ હટાવી નવિન વીજ પોલ નાખવા માંગ

ટેગ્સ:#public safety#Local Governance#Accident Prevention#Infrastructure Issues#Unjha Taluka#Villager Advocacy#Pedestrian Safety#Aithor Village#Electricity Pole#Community Demand#GEB (Gujarat Electricity Board)#Former Sarpanch#School and Anganwadi Center#Temple Proximity
સંબંધિત સમાચાર
મહેસાણાન્યાયની માંગ સાથે મહેસાણા ગુંજ્યું : ક્ષત્રિય ઠાકોર સમાજની મહારેલી, કલેક્ટરને આવેદનપત્ર અપાયું
8 કલાક પહેલા
મહેસાણાશક્તિપીઠ બેચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાનો થનગનાટ: વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
9 કલાક પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના રૂ.૩૮.૫૭ કરોડના આવાસોનું વડાપ્રધાન ઈ-લોકાર્પણ કરશે
9 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
2 દિવસ પહેલા
