પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મહિલાઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ
દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે જશુબા પ્રકાશસિંહ વાઘેલાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન પ્રકાશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે.આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે કાળુભાઈ કેહરાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે હરજીભાઈ માનાભાઈ ઘટાડ અને દંડક તરીકે વિષ્ણુબા અનારસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. તાલુકા પંચાયતના આ નવનિયુક્ત હોદ્દેદારોને લઈને પક્ષના કાર્યકર્તાઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો છે. સ્થાનિક સ્તરે આ નિમણૂકોને લઈને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.





