રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ8 એપ્રિલ, 2026| Super Admin

ચાણસ્મા: જમીન સંપાદનની રકમ ન ચૂકવતા નર્મદા કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસ સીલ કરાઈ

ચાણસ્મા: જમીન સંપાદનની રકમ ન ચૂકવતા નર્મદા કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસ સીલ કરાઈ

પાટણ ચાણસ્માની નર્મદા કચેરીના એજ્યુકેટીવ એન્જિનિયર ની ઓફિસને સીલ મારી દેવામાં આવતા સનસનાટી મચી જવા પામી હતી. મોઢેરા થી ઘારીયાલ રોડ પર 2001ની સાલમાં જમીન સંપાદન કરવામાં આવ્યું હતું જેનું ખેડૂત અરજદારને તેનું વળતર ન ચૂકવતા ખેડૂત દ્વારા કડી કોટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે મામલે કડી કોર્ટના જજ દ્વારા ચાણસ્મા નર્મદા વિભાગની કચેરીને જપ્તી કરવાનો હુકમ કર્યો હતો જેના ભાગરૂપે ચાણસ્મા કોર્ટના 2 બેલીફ અને પંચોની હાજરીમાં મંગળવારે આ ઓફિસને સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ચાણસ્મા નર્મદા કચેરીના એજ્યુકેટીવ એન્જિનિયરની ઓફિસને સીલ મારવામાં આવી હોવાના મામલે મળતી માહિતી મુજબ મોઢેરાના સોલંકી સેધાજી ખેડૂતની જમીનનું 2001 ની સાલમાં સંપાદન કરવામાં આવ્યું હતું. પરંતુ નર્મદા વિભાગ દ્વારા ખેડૂત અરજદારને વળતર ચૂકવવામાં આવ્યું ન હતું જે કારણે ખેડૂત અરજદાર કોર્ટના શરણે જવા મજબૂર બન્યો હતો.અરજદારને વ્યાજ સાથે રૂ. 4.20 લાખ ચૂકવવાના બાકી હતા ત્યારે કડી કોર્ટ દ્વારા ચાણસ્માની નર્મદા વિભાગની કચેરીને જપ્તી કરવાનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મંગળવારે અરજદાર, 2 બેલીફ, એડવોકેટ અને પંચોની હાજરીમાં નર્મદા કચેરીના એજ્યુકેટીવ એન્જિનિયર ની ઓફિસને સીલ મારવામાં આવી હતી. કચેરીનો તમામ સામાન એન્જિનિયરની ઓફિસમાં મૂક્યા બાદ કાયદેસર રીતે ઓફિસને સીલ કરવામાં આવી હોવા મામલે સનસનાટી મચી જવા પામી હતી.

સંબંધિત સમાચાર