ભાભર રેલવે સ્ટેશને ભુજ- બાન્દ્રા ટ્રેનના વધામણા કરાયા

ભાભરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈ જવા વાળા મુસાફરોમાં આનંદની લાગણી; ભાભર રેલ્વે સ્ટેશન ખાતે ભુજ બાન્દ્રા ટ્રેનનું સ્ટોપેજ મળ્યા બાદ ટ્રેન આવી પહોંચી હતી. તેના સ્વાગત માટે આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.અને લોકોએ ઉમળકાથી ટ્રેનના વધામણા કર્યા હતા. ભાભરના રાજકીય અને સેવાભાવી લોકો દ્વારા રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવને વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. જેમના આદેશથી મુંબઈ પશ્વિમ રેલ્વે વિભાગના જી.એમ.અશોક મિશ્રાએ સર્વે કરી ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ બાન્દ્રા ટ્રેનના સ્ટોપેજ માટે મંજૂરી આપી હતી. જેથી ભુજ બાન્દ્રા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવાર અને શુક્રવારે દોડે છે.
ભાભર ખાતે રાત્રે ૧૦ કલાકે સ્ટોપેજ આપવામાં આવતા લોકોએ હર્ષ ભેર રેલ્વે ટ્રેનનું અગરબત્તી અને દિવો પ્રગટાવી આરતી ઉતારી ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પેંડા વહેચી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. ગામ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરના આગેવાનો હાજર રહ્યા હતા. જેના કારણે ભાભરથી અમદાવાદ બરોડા સુરત અને મુંબઈ જતાં મુસાફરોમાં હર્ષની લાગણી છવાઈ છે. અને રાત્રે જ મુંબઈ જવા માટે ટ્રેન મુસાફરીનો લાભ લીધો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
21 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
1 દિવસ પહેલા
