સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

લોકહિતના પાયાના પડતર પ્રશ્નો ઝડપી નિકાલ કરવા મંત્રીની અધિકારીઓને સૂચના
સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ પ્રસંગે બલવંતસિંહ રાજપૂતે જિલ્લાના વિકાસના કામો મંજૂર થયાં છે તે પ્રજાલક્ષી વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં ટ્રાફિક, એસટી ડેપો, જમીન માપણી,ઓવરબ્રિજ, ગટર લાઈન, સ્વચ્છતા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકાઓના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે અને ઝડપથી લાભ મળે તે અંગે જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓએ વિકાસના કામો કયા સ્ટેજે છે અને કેટલી પ્રગતિ થઈ તેનો રિપોર્ટ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના ૭ શંકાસ્પદ કેસ
1 દિવસ પહેલા
સાબરકાંઠાચાંદીપુરા વાયરસ: સાબરકાંઠા કલેક્ટર એક્શનમાં, વીડિયો કોન્ફરન્સ યોજી
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ બેઠક યોજાઈ
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર પાલિકા: મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કરોડોના કામનું ખાતમુહૂર્ત
3 દિવસ પહેલા
