હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનુ ખાતમુહૂર્ત કરાયુ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર શહેરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત છે. ગુણવત્તાયુક્ત માર્ગો શહેરના વિકાસ અને નાગરિકોની સરળ અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આ વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ શહેરના લોકોને વધુ સુવિધા મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે.
આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરૂણાબેન કડીયા, અગ્રણી કનુભાઇ પટેલ, જે.ડી.પટેલ, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, બીપીન ઓઝા, ચીફ ઓફિસર ગઢવી, કરણસિંહજી, સુર્યવંશસિંહજી તેમજ નગરપાલિકાના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





