દક્ષિણ ભારતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ આઈપીએસ અધિકારી કે. અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત એ છે કે, લોન્ચિંગની સાથે જ અન્નામલાઈની આ નવી સફરને જનતાનો અભૂતપૂર્વ અને ઐતિહાસિક પ્રતિસાદ મળ્યો છે. અન્નામલાઈએ દાવો કર્યો છે કે તેમની નવી પાર્ટી ‘ઇધુ નમ્મા ઇયક્કમ’ લોન્ચ થયાના માત્ર ૧૦ કલાકની અંદર જ ૧૦ લાખથી વધુ લોકો આ આંદોલન સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને જોડાઈ ચૂક્યા છે. અન્નામલાઈએ તેને સામાન્ય જનતાનું આંદોલન ગણાવ્યું છે. બીજી તરફ, અન્નામલાઈના સમર્થનમાં તમિલનાડુ ભાજપમાં પણ મોટો ભૂકંપ આવ્યો છે. પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ કરુ નાગરાજન સહિત અનેક સ્થાનિક નેતાઓએ ભાજપમાંથી રાજીનામું આપીને અન્નામલાઈને ખુલ્લું સમર્થન જાહેર કરી દીધું છે. અન્નામલાઈએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી વર્ષ ૨૦૩૧ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી સંપૂર્ણ તાકાત સાથે લડશે. તેમણે આ માટે ‘We The Leaders’ નામથી એક ડિજિટલ પ્લેટફોર્મ અને સંસ્થાની પણ સ્થાપના કરી છે.
અન્નામલાઈ IPS અધિકારી, છ વર્ષ ભાજપમાં રહ્યા
અન્નામલાઈ કર્ણાટક કેડરના IPS અધિકારી રહ્યા છે. નોકરી છોડીને 2020માં ભાજપ સાથે જોડાયા. પાર્ટીએ પહેલા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પછી અધ્યક્ષ બનાવ્યા. તેમણે તમિલનાડુમાં ભાજપને મજબૂતી આપી. તેઓ આક્રમક રાજનીતિને કારણે લોકપ્રિય થયા. રાજ્ય પ્રમુખ પદ પરથી હટાવવામાં આવતા અને AIADMK સાથે ભાજપના ગઠબંધનથી નારાજ હતા.
અન્નામલાઈની નવી પાર્ટીમાં 10 કલાકમાં 10 લાખ લોકો જોડાયા

સંબંધિત સમાચાર
રાજકારણઅન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપ્યું, આજે બપોરે 12 વાગ્યે મોટી જાહેરાત કરશે; બે દિવસ પહેલા અમિત શાહને મળ્યા હતા
1 દિવસ પહેલા
રાજકારણમમતા બેનર્જી વિરુદ્ધ વધું એક FIR દાખલ કરવામાં આવી
2 દિવસ પહેલા
રાજકારણ'અભિષેક બેનર્જીને ચોરની જેમ માર મારવામાં આવ્યો', તૃણમૂલ નેતા ઋતબ્રત બેનર્જીનું મોટું નિવેદન
2 દિવસ પહેલા
રાજકારણમમતા બેનર્જીને વધુ એક ફટકો, નજીકના સહયોગી ફિરહાદ હકીમે કોલકાતાના મેયર પદેથી રાજીનામું આપ્યું
3 દિવસ પહેલા
