રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા28 ફેબ્રુઆરી, 2025| Super Admin

અંબાજી મંદિરે યુ.એસ.એ ગ્રુપ તરફથી એક ચાંદીનો થાળ, બે ચાંદીના વાટકા અને એક ચાંદીની આરતી ભેટ

અંબાજી મંદિરે યુ.એસ.એ ગ્રુપ તરફથી એક ચાંદીનો થાળ, બે ચાંદીના વાટકા અને એક ચાંદીની આરતી ભેટ
અંબાજી મંદિર ખાતે USA ગ્રુપ તરફથી માતાજીને મૂલ્યવાન ભેટ અર્પણ કરવામાં આવી છે. ગ્રુપના સભ્યો દિનેશભાઈ ભટ્ટ અને માનસીબેન શર્માએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને એક ચાંદીનો થાળ, બે ચાંદીના વાટકા અને એક ચાંદીની આરતી ભેટ સ્વરૂપે આપ્યા છે. આ સમગ્ર ભેટની કુલ કિંમત 6,17,390 રૂપિયા છે. દાન કરાયેલી વસ્તુઓનું કુલ વજન 6 કિલો 494 ગ્રામ છે. આ દાન 27 ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા અંબાજી મંદિરમાં દરરોજ હજારો માઈભક્તો દર્શન કરવા આવે છે. મંદિરમાં સોના-ચાંદીના દાનનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે. ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે. સાથે સાથે યથાશક્તિ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમનું દાન પણ કરે છે. દેશ-વિદેશમાં વિખ્યાત એવા આ મંદિરમાં ભક્તોની આસ્થા અને શ્રદ્ધા સતત વધી રહી છે. યુએસએ ગ્રુપ દ્વારા કરવામાં આવેલું આ દાન મંદિરની સમૃદ્ધિમાં વધારો કરનારું બની રહ્યું છે.

સંબંધિત સમાચાર