રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા19 જાન્યુઆરી, 2025| Super Admin

અંબાજી મંદિર ટ્રસ્ટ ને મળ્યું રૂપિયા ૭.૬૫ લાખ ની સોનાનું દાન

અંબાજી મંદિર ટ્રસ્ટ ને મળ્યું રૂપિયા ૭.૬૫ લાખ ની સોનાનું દાન

યાત્રાધામ અંબાજી માં કમૂરતા પૂરા થયા બાદને ઉતરાયણ બાદ શુભ પ્રસંગો શરૂ થયા છે ત્યારે અંબાજી મંદિરમાં પણ અવિરત દાન નો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે નડિયાદ ના બે ભક્તો દ્વારા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને રૂપિયા ૭.૬૫ લાખની કિંમત નું સોનાનું દાન અર્પણ કર્યું છે આ દાન નડિયાદ ના નિવૃત્ત શિક્ષક અને નિવૃત્ત શિક્ષિકા દ્વારા ચઢાવવામાં આવ્યું છે. આ બંને શિક્ષકો દ્વારા અંબાજી મંદિરમાં માતાજી ને ૧૦૦ ગ્રામ ના વજન વાળો સોનાનો હાર માતાજી ને અર્પણ કર્યો હતો આ બંને દાતાઓ એ દાન કરીને પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે આજે મળેલો સો ગ્રામના વજન વાળો સોનાનો હારનું દાન અંબાજી મંદિર ના ટેમ્પલ ઇન્સ્પેકટર મિતેશ પંડ્યા એ સ્વીકારી ને પહોચ અર્પણ કરી હતી.

સંબંધિત સમાચાર