ડીસા તાલુકાના ઝેરડા ગામે વીજ કનેક્શન આપવા મામલે લાંચ માગવાનો આક્ષેપ થતાં ચર્ચા જગાઈ છે. ઝેરડા ગામના રહીશ લીલાભાઈ વિહાભાઈએ પાલનપુર સ્થિત પી.આઈ. એસીબીને લેખિત અરજી આપી UGVCLના હેલ્પર અને આર. પંચાલ તથા સી.ડી. પ્રજાપતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.અરજી મુજબ, અરજદાર લીલાભાઈ દ્વારા પોતાના ખેતરમાં નવો બોર બનાવ્યા બાદ વીજ કનેક્શન લેવા માટે કેરડા UGVCL ઓફિસમાં જરૂરી કાગળો સાથે અરજી કરી હતી. આ દરમિયાન ઓફિસના હેલ્પર લાઇનમેન એચ આર. પંચાલે સર્વે કરવા માટે પહેલા 1500 રૂપિયા માગ્યા હતા, જે અરજદારે ચૂકવ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ કામ આગળ વધારવા માટે ફરીથી કુલ 20,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે. અરજદારના પુત્ર ભરતભાઈ દેસાઈના જણાવ્યા મુજબ રૂપિયા નહીં આપીએ તો વીજ કનેક્શન આપવામાં નહીં આવે તેવી પણ ધમકી આપવામાં આવી હતી.અરજદારે વધુમાં જણાવ્યું છે કે હાલમાં બે સિઝનથી પાણી વગર ખેતી કરવી મુશ્કેલ બની છે અને પશુઓ માટે પણ પાણીની સમસ્યા ઉભી થઈ છે. આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ અરજીમાં કરવામાં આવી છે. આ અરજી બાદ સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આક્ષેપો અંગે સંબંધિત અધિકારીઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.
ઝેરડા ગામે વીજ કનેક્શન માટે લાંચની માંગણીનો આક્ષેપ : UGVCLના બે કર્મચારીઓ સામે ACBમાં લેખિત ફરિયાદ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઆવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ
11 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ધીમીધારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં : વાહનચાલકો પરેશાન
11 કલાક પહેલા
બનાસકાંઠામાલગઢ ખાતે ડીસા તાલુકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા નીકળી : સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું
11 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજના ખીમાણા ગામે તિરંગા યાત્રા યોજાઈ
11 કલાક પહેલા
