જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલાના સમાચાર આખા માનવસમાજ માટે દુઃખદાયક છે. માનવતાના દુશ્મન ગણાતા આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને જે રીતે હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી જે શરમજનક ઘટનામાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓના આત્માની શાંતિ માટે અને આતંકવાદ વિરુદ્ધમાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના સૌ દેશપ્રેમી નાગરિકોએ 25-04-25 શુક્રવારના રોજ રાત્રે ઐઠોર ગ્રામ પંચાયત પાસે એકઠા થઇ શ્રી ગણપતિ મંદિર સુધી બેનર સાથે કેન્ડલ માર્ચ યોજી હતી. જ્યાં મંદિરમાં ગણપતિ દાદાને મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી સત્સંગ હોલમાં 2 મિનિટનું મૌન પાળી ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ આયોજનમાં ઐઠોર ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઐઠોર ગામજનોએ આતંકવાદી હુમલાના મૃતકોને કેન્ડલ માર્ચ, પ્રાર્થના, મૌન સહીત શ્રદ્ધાંજલિ આપી

ટેગ્સ:#Jammu and Kashmir#tribute#Unjha Taluka#Pahalgam#Candle March#Terrorist Attack#Aithoor Village#Innocent Tourists#Peace of Souls#Anti-Terrorism#Villager Solidarity
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણાના જોટાણા પંથકમાં સાયબર ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગનો સાંથલ પોલીસે પર્દાફાશ કર્યો
54 મિનિટ પહેલા
મહેસાણાકડીમાં વેપારીને હાથ-પગ બાંધી બંધક બનાવી ₹14.90 લાખ લૂંટનારા 4 શખ્સો સામે ગુનો દાખલ
56 મિનિટ પહેલા
મહેસાણામાઢીમાં એટ્રોસિટીની માંગ: વિજાપુરના માઢી ગામે સર્જાયેલા વિવાદ બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ
1 કલાક પહેલા
મહેસાણાવિસનગરના ઐતિહાસિક ત્રણ દરવાજા ટાવરનો ભાગ ધરાશાયી: મોચીકામ કરતા યુવકનો આબાદ બચાવ
1 દિવસ પહેલા
