રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય28 ડિસેમ્બર, 2024| Super Admin

પંજાબના ભટિંડામાં દુર્ઘટના આઠ લોકોનાં મોત 20થી વધુ મુસાફરો ઘાયલ

પંજાબના ભટિંડામાં દુર્ઘટના આઠ લોકોનાં મોત 20થી વધુ મુસાફરો ઘાયલ

પંજાબના ભટિંડામાં એક મોટી દુર્ઘટના થઈ. અહીં ભારે વરસાદ વચ્ચે એક બસ પુલ પરથી નીચે પડી હતી. પુલની નીચે એક નાળું હતું, જેમાં બસ પડતાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હાલ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને લોકોને ગટરની અંદરથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘાયલોને બચાવવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ પણ તેમની સાથે જોડાઈ હતી. આ પછી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને અંદરથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન NDRFની ટીમ અને અન્ય રેસ્ક્યુ ટીમોએ લગભગ અઢી કલાકની જહેમત બાદ બસને નાળામાંથી બહાર કાઢી હતી. દુર્ભાગ્યે, 8 લોકોના મોત થયા છે, જેમાં એક 2 વર્ષની બાળકી પણ છે. જેમાંથી 5ના મોત તલવંડી હોસ્પિટલમાં જ્યારે અન્ય ત્રણના મોત ભટિંડાની સિવિલ હોસ્પિટલમાં થયા છે. આઠ લોકોમાંથી 5 લોકોના મોત થયા છે. બસ સ્પીડમાં હતી અને ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. કદાચ તે પરિવારોને આપવામાં આવશે.

સંબંધિત સમાચાર