પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. પાલનપુર માં મોબાઈલ ટાવર માં આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી. પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલા મોબાઈલ કંપનીના ટાવર માં આગ લાગી હતી. જોકે, આગની ઘટના ના પગલે સ્થાનિકોએ પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગ ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ની ઘટનાને લઈને લોકોના ટોળે ટોળાં ઉમટ્યા હતા.ટાવરની અંદર વિજ લાઇન માં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે.
પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવૈશાખી વાયરાનો કહેર: સરહદી પંથકમાં પવનની પંખે ચડી ધૂળની ડમરીઓ!
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસા મામલતદાર કચેરી ખાતે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ
22 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ: અફરાતફરી બાદ તંત્ર દોડતું થયું
23 કલાક પહેલા
બનાસકાંઠાજુનાડીસાના નવાપુરા વિસ્તારના લોકો દૂષિત પાણી પીવા મજબૂર, પંચાયત સામે રોષ
1 દિવસ પહેલા
