બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા ગામના વતની ધવલભાઈ રાઠોડનું સુરતના સુલતાનાબાદ ખાતે આવેલા એક રિહેબ સેન્ટરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. ધવલભાઈને વ્યસન મુક્તિની સારવાર માટે 1 માર્ચ 2026 ના રોજ આ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને તે જ રાત્રે તેમનું અવસાન થયું હતું. આ ઘટનાને પગલે વઢીયાર ગોળ દરજી સુથાર સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમાજ દ્વારા મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકો દ્વારા યુવકને માથાના તેમજ કિડનીના ભાગે ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું છે. સમાજે આ ઘટનાને 'ક્રૂર હત્યા' ગણાવી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.આ બાબતની સમાજ દ્વારા મુખ્યમંત્રી સહિત ઉચ્ચસ્તરે પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
થરાના યુવકનું શંકાસ્પદ મોત બાબતે મામલતદારને આવેદનપત્ર અપાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા
