રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
આંતરરાષ્ટ્રીય11 જાન્યુઆરી, 2025| Super Admin

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ભયાનક અથડામણમાં 9 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ભયાનક અથડામણમાં 9 લોકોના મોત

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બસ અને અન્ય વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અથડામણમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પાકિસ્તાન પોલીસે આ જાણકારી આપી છે. આ અકસ્માત કરક જિલ્લાના અંબેરી કલ્લે ચોક ખાતે સિંધુ હાઈવે પર થયો હતો, જેમાં એક વાહન અને પેસેન્જર બસની ટક્કર થઈ હતી, પોલીસે જણાવ્યું હતું. તેમાં કહેવાયું છે કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. જો કે બસમાં કુલ કેટલા મુસાફરો હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી ઘાયલોની સંખ્યા વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં મૃત્યુઆંક હજુ વધે તેવી સંભાવના છે. પોલીસ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે આ દુર્ઘટનામાં નવ મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે નિર્દેશ આપ્યો કે અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

સંબંધિત સમાચાર