![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/baba-ram.png)
સુપ્રીમ કોર્ટે રામદેવ, બાલકૃષ્ણને હાજર રહેવામાંથી આપી છૂટ, કહ્યું ‘માફીપત્રોની મુખ્ય નકલ જમા કરાવો’,
પતંજલિની ભ્રામક જાહેરાતો પર સુપ્રીમ કોર્ટનું વલણ કડક થઈ રહ્યું છે. મંગળવારે (30 એપ્રિલ)ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વતી જે પણ અખબારમાં લોકોની માફી માંગવામાં આવી છે તેની અસલ નકલ રજૂ કરવામાં આવી છે.
Misleading ad Case: પતંજલિને ગેરમાર્ગે દોરતી જાહેરાતના કેસમાં મંગળવારે (30 એપ્રિલ)ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે પતંજલિ દ્વારા દરેક અખબારની ઓરિજિનલ કોપી કોર્ટમાં રજૂ કરવાની રહેશે, જેમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ જાહેરમાં માફી માગી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રામદેવ બાબા અને આચાર્ય બાલકૃષ્ણને હાજર રહેવામાંથી મુક્તિ આપી છે.
Tags Baba Ramdev india Rakhewal ramdeb