’75 દિવસમાં 200થી વધુ રેલીઓ…રોડ શો…’ PM મોદીનું લોકસભા ચૂંટણી 2024 માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત

ગુજરાત
ગુજરાત

 લોકસભા ચૂંટણી 2024 ના છેલ્લા તબક્કા માટેનો પ્રચાર આજે સાંજે 5 વાગ્યે બંધ થઈ ગયો છે. પીએમ મોદીએ દેશભરમાં જોરદાર અભિયાન ચલાવ્યું. આ દરમિયાન પીએમ મોદી ધ્યાન કરવા માટે તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા છે. તેઓ અહીં 30મી મેથી 1લી જૂન સુધી ધ્યાન કરશે. આ દરમિયાન પીએમ વિવેકાનંદ રોક મેમોરિયલની પણ મુલાકાત લેશે.

મળતી માહિતી મુજબ, પીએમ કન્યાકુમારીના રોક મેમોરિયલ સ્થિત ધ્યાન કરશે. આ એ જ સ્થળ છે જ્યાં વિવેકાનંદે એક વખત સમગ્ર ભારતનો પ્રવાસ કર્યા બાદ ધ્યાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે રોક મેમોરિયલ એવી જગ્યાએ બનાવવામાં આવ્યું છે જ્યાં બંગાળની ખાડી, હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર એકસાથે મળે છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ 2014માં ચૂંટણી પ્રચાર પૂરો કર્યા બાદ કેદારનાથની મુલાકાત પણ લીધી હતી. તેમણે ત્યાં સ્થિત કેદાર ગુફામાં તપ કર્યું હતું. 

પીએમએ 2024ની લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કન્યાકુમારીથી કરી હતી. મળતી માહિતી મુજબ પીએમએ 16 માર્ચે કન્યાકુમારીમાં લોકસભા ચૂંટણી 2024ની પ્રથમ રેલીને સંબોધિત કરી હતી. પીએમે છેલ્લા 75 દિવસમાં 200થી વધુ ચૂંટણી રેલીઓ અને રોડ શો કર્યા છે. પીએમએ બંગાળ, બિહાર, ઓરિસ્સા, યુપી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ રેલીઓ કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમએ ઘણી ટીવી ચેનલોને ઈન્ટરવ્યુ પણ આપ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.