![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/વિકાસના-વિવિધ-કામોનું-01-હેડ.jpg)
વિકાસના વિવિધ કામોનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઇ ખાતમુહર્ત કરવામાં આવ્યું
ઉઝા રેલ્વે સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ૫૫૪ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ અને ૧૫૦૦ રોડ ઓવર – અંડરબ્રિજનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો
ઊંઝા રેલ્વે સ્ટેશન પર અમૃત ભારત રેલ્વે સ્ટેશન વિકાસ યોજના અંતર્ગત અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવા વિકાસના વિવિધ કામોનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઇ ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૫૫૪ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ તેમજ ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અંડરપાસના શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાને દેશને સંબોધ્યા હતા.
ઊંઝા રેલ્વે સ્ટેશનને જે સુવિધાઓ પશ્ચિમ તરફ પ્રાપ્ત છે તેવી સુવિધાઓ સ્ટેશનની પૂર્વે દિશા ઊંઝા શહેર તરફ ટિકિટબારી સહિત ઊભી કરવા અને ઊંઝા રેલ્વે સ્ટેશનને અત્યાધુનિક બનાવવા ઇ ખાત મુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન રેલ્વે વિભાગ દ્વારા કરાયુ હતું.