![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/amalal.png)
ગુજરાત માટે આગામી દિવસો ચિંતાજનક, અંબાલાલ પટેલે કરી આગાહી
ગુજરાતીઓને માવઠાથી રાહત મળે તેવી હાલ શક્યતા જણાઈ રહી નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 8થી 11 માર્ચ અને 18થી 20 માર્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી બાદ ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે.
આ ઉપરાંત 15 માર્ચ સુધી ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેશે. ત્યાર બાદ 18થી 20 માર્ચ દરમિયાન પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે વધુ એક માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.