વડોદરાના ચાંદોદમાં ગંગા દશહરાના દિવસે મુખ્યમંત્રી આરતી ઉતારશે

ગુજરાત
ગુજરાત

વડોદરાના ચાંદોદ ગામમાંથી પસાર થતી નર્મદા નદીમાં ગંગા દશહરાની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે આગામી 26મી મેના રોજ ગંગા દશહરાના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને આરતી કરશે.આમ આ પાવન અવસરમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સુપ્રસિધ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું.ત્યારે તેમની સ્મૃતિમાં વર્ષોની પરંપરા મુજબ ગંગા દશહરા મહોત્સવ ઉજવાય છે.જે મહોત્સવની આગામી દસ દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે અને દસ દિવસની ઉજવણી દરમિયાન રોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકઠા થઇ નર્મદાજીની આરતીનો લાભ લઇ રહ્યા છે.જેમા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે થઇ રહેલી પૂજાથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.