![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/સ્કૂબા-દેવીનગ-02-હેડ.jpg)
ફોટોગ્રાફ શૅર કરતા વડાપ્રધાને લખ્યું કે, સમુદ્રમાં ડૂબેલી દ્વારિકા નગરીના દર્શન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દ્વારકામાં પાણીમાં ડૂબી ગયેલી શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીના દર્શન કર્યા હતા. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર ફોટોગ્રાફ શૅર કરતા વડાપ્રધાને લખ્યું કે, સમુદ્રમાં ડૂબેલી દ્વારિકા નગરીના દર્શન કરવાનો આજે આધ્યાત્મિક અનુભવ થયો. વડાપ્રધાન આ માટે પોતાની સાથે મોરપીંછ પણ લઈ ગયા હતા. વડાપ્રધાને લખ્યું કે, પાણીમાં ડૂબેલી દ્વારિકા નગરીમાં પ્રાર્થના કરવાનો મને ઘણો દિવ્ય અનુભવ થયો. મને આધ્યાત્મિક વૈભવ તથા શાશ્વત ભક્તિના આપ્રા ચીન યુગ સાથે જોડાવાની તકમળી. ભગવાન શ્રીકૃષ્ણ આપણને સૌને આશીર્વાદ આપે.
પીએમ મોદીએ આ અગાઉ આજે સવારે ઓખાને બેટ દ્વારિકા બચ્ચે બનેલા 2.32 કિ.મી. લાંબા સુદર્શન સેતુનું ઉદ્દઘાટન કર્યું હતું. સેતુનું ઉદ્દઘાટન કર્યા પહેલાં વડાપ્રધાને બેટ દ્વારિકામાં મંદિરમાં પૂજાવિધિ કરી હતી. ત્યારબાદ દ્વારિકા પહોંચીને ત્યાં પણ દ્વારિકાધીશની પૂજા કરી હતી. જોકે, પાણીમાં ડૂબેલી શ્રી કૃષ્ણની નગરીમાં પોતે દર્શન કરવા જશે કે નહીં એ વિશે અગાઉથી કોઈ જાહેરાત કરી નહોતી. પરંતુ વ્યવસ્થા મુજબ તેઓ દરિયામાં ડૂબકી લગાવીને દર્શન કરીને આવ્યા પછી સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી હતી. થોડા દિવસ પહેલાં જ ગુજરાત સરકારે પણ વિશેષ સબમરીન દ્વારા ડૂબેલી દ્વારિકાના દર્શન કરાવવાની યોજના બનાવેલી છે એ અનુસંધાને જ કદાચ વડાપ્રધાને આજે આ સાહસ કરીને સૌને પ્રોત્સાહિત કર્યા હોઈ શકે.