વડોદરાના માંજલપુર ગામમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર

ગુજરાત
ગુજરાત

વડોદરાના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે બેનરો લાગતા પોલીસ દોડતી થઇ હતી. બેનરમાં લખ્યું હતું કે, જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્યકર અને આગેવાને પ્રવેશ કરવો નહીં. એક આગેવાને તો પોલીસને ભાજપની ગુલામ કહી હતી. એક તરફ ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તેવી માંગણી કરી રહ્યું છે જ્યારે બીજી તરફ 16 એપ્રિલે જંગી સભા બાદ રૂપાલા પોતાનું ફોર્મ ભરવા જશે.

વડોદરાના માંજલપુર ગામના પ્રવેશ દ્વાર પર ક્ષત્રિય સમાજના યુવાનોએ બેનર લગાવતા પોલીસ અને ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ દોડી આવ્યા હતા તો વિરોધ જોઈને કાઉન્સિલરને પણ પરત ફરવુ પડયુ હતુ.બેનરમાં લખાણ કરવામાં આવ્યુ છે કે,ભાજપના આગેવાનો કે કાર્યકરોએ પુરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ ના થાય ત્યાં સુધી પ્રવેશબંધી ફરમાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.