પીએમ મોદીએ લગાવી આસ્થાની ડૂબકી, દરિયાની અંદર દ્વારકા નગરીમાં ભગવાન કૃષ્ણને કર્યા નમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે દરિયાના પાણીમાં ડૂબકી લગાવી હતી. પીએમ મોદી તે જગ્યાએ ગયા જ્યાં ડૂબી ગયેલ દ્વારકા શહેર છે. અહીં તેમણે ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા. ડૂબકી લગાવતા પહેલા મોદીની કમર પર મોરના પીંછા પણ બાંધવામાં આવ્યા હતા.
ડૂબકી મારતા પહેલા તેમણે કમર ફરતે મોરના પીંછા બાંધ્યા હતા
પીએમ મોદીએ આ ફોટા તેમના સત્તાવાર X હેન્ડલ પર કર્યા પોસ્ટ કર્યા છે. તેમણે ભગવાન શ્રી કૃષ્ણની નગરીની ભવ્યતા અને સમૃદ્ધિને યાદ કરતા લખ્યું “પાણીમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીમાં પાર્થના કરવી ખૂબ દિવ્ય અનુભવ હતો”.
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ દ્વારકા નજીક અરબી સમુદ્રમાં નેવીના જવાનો સાથે સ્કુબા ડાઈવિંગ કર્યું હતું. પીએમ મોદી ગોમતી ઘાટ પર સ્થિત સુદામા બ્રિજ પાર કરીને પંચકુઈ બીચ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાંથી લગભગ 2 નોટિકલ માઈલ દૂર દરિયામાં ડૂબકી લગાવી હતી.
પીએમ મોદીએ સ્કુબા ડાઈવિંગ કર્યું
દ્વારકા એક ધાર્મિક નગરી છે, પરંતુ હવે તે પ્રવાસન ક્ષેત્રે પણ નામ કમાઈ રહ્યું છે. દ્વારકાના દરિયા કિનારે સ્કુબા ડાઈવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેની શરૂઆત કરી છે.
આ પહેલા વર્ષની શરૂઆતમાં વડાપ્રધાન મોદી લક્ષદ્વીપ ગયા હતા અને સમુદ્રમાં ડૂબકી લગાવી હતી. જો કે તે સમયે તેણે સ્નોર્કલિંગ કર્યું હતું, પરંતુ આ વખતે તેણે સ્કુબા ડાઈવિંગ કર્યું છે.