‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને લોકોને મારી રહ્યું છે’, ઈમરાન ખાને લગાવ્યો આરોપ

ગુજરાત
ગુજરાત

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભારત પર પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. ઈમરાન ખાનના કહેવા પ્રમાણે, ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદો પાર કરીને પાકિસ્તાનની ધરતી પર હત્યાઓ કરી રહ્યું છે. આ સિવાય ઈમરાન ખાન દેશની સ્થિતિ માટે સેનાને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે. તેણે પાકિસ્તાન સેના પર તેની હત્યા કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

ઈમરાન ખાને એક પત્રમાં લખ્યું છે કે, ‘બલૂચિસ્તાનમાં આતંકવાદ અને અલગતાવાદ વધી રહ્યો છે, જ્યાં લોકોને બળજબરીથી ગાયબ કરવાનો મુદ્દો ગંભીરતા સાથે વધી રહ્યો છે. જો આપણે પાકિસ્તાનની સરહદોની વાત કરીએ તો, ભારત પહેલાથી જ દેશની અંદર હત્યાઓ સ્વીકારી ચૂક્યું છે. આ સિવાય તેમણે પત્રમાં લખ્યું છે કે જો તેમને અથવા તેમની પત્નીને કોઈપણ રીતે કંઈ થશે તો તેના માટે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર જવાબદાર રહેશે.

પાકિસ્તાની સેના પર આરોપ

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને લખ્યું, પાકિસ્તાની સેના પણ તેમને મારવાની યોજના બનાવી રહી છે. ઇમરાને કહ્યું, ‘મિલિટરી એસ્ટિબ્લિશમેન્ટે મારા વિરૂદ્ધ બધું જ કર્યું. હવે તેમના માટે મને મારવાનું બાકી છે. હું ડરતો નથી કારણ કે મારો વિશ્વાસ મજબૂત છે. હું ગુલામી કરતાં મૃત્યુ પસંદ કરીશ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.