![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/yogi-mafiya.png)
‘માફીયાઓને કચડી નાખવા હું UP થી બુલડોઝર મોકલીશ: CM યોગી
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના પ્રચારના અંતિમ દિવસે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જનસભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે પંજાબ ડ્રગ અને રેતી માફિયાઓનો ગઢ બની ગયું છે. લુધિયાણા અને આનંદપુર સાહિબમાં જાહેર સભાઓને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ આ તમામ માફિયાઓને ખતમ કરવા માટે યુપીમાંથી બુલડોઝર મોકલશે.
સીએમ યોગીએ ગઈ કાલે લુધિયાણાથી ભાજપના ઉમેદવાર રવનીત સિંહ બિટ્ટુ અને આનંદપુર સાહિબના ઉમેદવાર સુભાષ શર્માની તરફેણમાં રેલી યોજી હતી. આ અલગ-અલગ રેલીઓને સંબોધતા તેમણે કહ્યું કે પંજાબની પવિત્ર ભૂમિને આપ સરકાર અને અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા અપવિત્ર કરવામાં આવી છે.
રાજ્યમાં જમીન માફિયા, ડ્રગ માફિયા અને રેતી માફિયાઓનો અડ્ડો
તેમણે વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ અને AAP પંજાબના લોકોની લાગણીને સમજી શકતા નથી. આ સરકારોની ઉદાસીનતાને કારણે રાજ્ય જમીન માફિયાઓ, ડ્રગ માફિયાઓ અને રેતી માફિયાઓનો અડ્ડો બની ગયું છે. તેઓને કચડી નાખવું પડશે અને તેના માટે આ આનંદપુર સાહિબના લોકોએ ભાજપના ઉમેદવારોને મત આપવા પડશે હું માફિયાઓને કચડી નાખવા માટે યુપીથી બિટ્ટુ અને શર્માને બુલડોઝર મોકલીશ. તેમણે વધુમાં કહ્યું કે જો ભાજપ પંજાબમાં આગામી સરકાર બનાવે છે તો તે 48 કલાકમાં માફિયા ગેંગને ખતમ કરી દેશે.