ગુજરાતના ખેડૂતોને રાત્રીનાં બદલે દિવસે મળશે વીજળી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું સમર્થન

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં રાતના સમયે વીજળી અપાતી હોવાથી ખેડૂતોને શિયાળાની કડકડતી ઠંડીમાં રાતના ઉજાગરા કરીને પીયત કરવું પડે છે. ખેડૂતોને રાત્રિના સમયે પિયત માટે વીજળી આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેથી ખેડુતો એ રાજ્ય સરકારને દિવસે વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે.

હવે ગુજરાતના ખેડુતોને શિયાળામાં ઉજાગરા કરવાની જરુર નહીં પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે. અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસ દરમિયાન મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે. ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી અપાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.