બનાસકાંઠામાં ખરવા રોગની એન્ટ્રી, ગામદીઠ 500 પશુઓના મોત

ગુજરાત
ગુજરાત

ખેતી અને પશુપાલન પર આધારીત રાખતો બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોની હાલ માઠી દશા આવી છે. દુધાળા પશુઓમાં ખરવા-મોવાસા નામનો રોગ ફેલાતા રોજના 20થી 25 પશુના મોત તઈ રહ્યા છે. ગામદીઠ કુલ 400થી 500 પશુઓના મોત થતા તંત્ર પણ દોડતું થયુ છે. તંત્રએ રસીકરણની શરૂઆત કરી છે. ગ્રામજનોએ કહ્યું કે, રોગચાળો એ હદે ફેલાયો છેકે, આખો દિવસ પશુઓની અંતિમવિધિમાં જ નિકળી જાય છે.

બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઇગામ અને ભાભર સહિતના વિસ્તારમાં પશુઓમાં ખરવા રોગના લક્ષણો જોવા મળ્યા છે. ખરવા રોગના કારણે પશુઓના મોત થતાં પશુપાલકોમાં ચિંતામાં ગરકાવ થયા છે. પરિસ્થિતિ વધુ વણસે નહીં એ માટે અગમચેતીના ભાગરૂપે એકજ દિવસમાં 65 હજાર જેટલા વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા છે. ઝેટામાં 650થી વધુ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.