આશારામ બાપુને સુપ્રીમ કોર્ટથી ઝટકો, સજા માફ કરવાની અરજી ફગાવી, મળી એક ખાસ સલાહ

ગુજરાત
ગુજરાત

જેલમાં બંધ બળાત્કારના દોષિત આસારામને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે તબીબી આધાર પર સજા માફ કરવાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે સજા પર સ્ટે મૂકવાની અરજી માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આ કેસની સુનાવણી કરવાનો આદેશ પણ આપ્યો હતો.

આસારામના વકીલે પણ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે મહારાષ્ટ્રમાં પોલીસ કસ્ટડી દરમિયાન તેમના અસીલને આયુર્વેદિક સારવાર લેવાની મંજૂરી આપવામાં આવે. આ પછી કોર્ટે વકીલને આ અરજી રાજસ્થાન હાઈકોર્ટમાં પણ લઈ જવા કહ્યું.

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો

સપ્ટેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે આસારામને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ પહેલા રાજસ્થાન હાઈકોર્ટે તેને 2022માં જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આસારામના વકીલે રાહતની માંગ કરતા કહ્યું કે તેમનો અસીલ છેલ્લા નવ વર્ષથી જેલમાં છે અને તેની ઉંમર 80 વર્ષથી વધુ છે અને તે ગંભીર બીમારીઓથી પીડિત છે.

આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે

એપ્રિલ 2018 માં, રાજસ્થાનના જોધપુરની એક અદાલતે આસારામને 2013 માં તેના આશ્રમમાં એક સગીર સાથે બળાત્કારનો દોષી ઠેરવ્યા બાદ તેને આજીવન કેદની સજા ફટકારી હતી. આ જ કેસમાં કોર્ટે તેના બે સહયોગીઓને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. તે જ સમયે, જાન્યુઆરી 2023 માં, આસારામને 2013 માં ગુજરાતના એક આશ્રમમાં સુરતની એક મહિલા પર બળાત્કારનો પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.