![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/kha.png)
બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર તરીકે ડો. રેખાબેન હિતેશભાઈ ચૌધરીનું નામ જાહેર
લોકસભા ચૂંટણીને માત્ર થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપે ઉમેદવારોના પ્રથમ નામની યાદી જાહેર કરી છે. પ્રથમ લિસ્ટમાં કુલ 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 15 ગુજરાતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીંથી બનાસ ડેરીના આધસ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલના પૌત્રી ડો. રેખાબેન હિતેશભાઈ ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
- ડો.રેખાબેન હિતેશભાઈ ચૌધરીનો અભ્યાસ M.S.C, M.Phil, Ph.D સુધીનો છે.
- ડો. રેખાબેન ચૌધરી ઉચ્ચ અભ્યાસ કરી છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે
- ડૉ. રેખાબેન, બનાસકાંઠાના લાખો પશુપાલકો જેમના કારણે સ્વમાનભેર પોતાનું જીવન જીવી રહ્યા છે એવા બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. ડૉ. રેખાબેન બહેનોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહી તેમના દાદાશ્રીનો વારસો પણ સાચવી રહ્યા છે.
- ડૉ. રેખાબેન નું સમગ્ર પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે.
- ડો. રેખાબેન તથા તેમના પતિ ડૉ. હિતેશ પ્રેમજીભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર્તા છે.
- ડૉ. હિતેશભાઈ ચૌધરી હાલમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની ટીમમાં મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે તથા અગાઉ કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી, બનાસકાંઠા જિલ્લા ભાજપ મડામંત્રી, યુવા મોરચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવેલ છે.
- ડૉ. હિતેશભાઈ ચૌધરી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તથા ઉત્તર ગુજરાત ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તેમજ સિન્ડિકેટ સભ્ય તરીકે રહી ચૂક્યા છે.તેમજ મૂળ વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકર્તા રહ્યા છે તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે.
Tags Banaskantha india Rakhewal