ગુજરાતમાં વધુ એક અકસ્માત, મોરબીનાં હળવદમાં બેફામ ટ્રકની અડફેટે આવતા ૨ લોકોનાં મોત

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં  છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં મોરબીના હળવદમાં રણજીતગઢ પાસે અકસ્માતમાં 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,હળવદમાં રણજીતગઢ પાસે રોડની સાઈડમાં એક બેફામ ટ્રક ચાલકે અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યું છે. બેફામ ટ્રક ચાલકે બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને એક બેફામ ટ્રકે અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બે સગીરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ તરફ ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે.

મહત્વનું છે કે,ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ ઘટના અંગે પોલીસને જાણ કરી દેતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યાં પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.