![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/sadi.png)
સુરતના વેપારીએ બનાવી રામાયણ સાડી, સાડીમાં રામાયણની તમામ ઘટનાઓનું વર્ણન
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. દેશભરથી લોકો અનોખી ભેટ રામલલ્લાને મોકલી રહ્યા છે. તેવામાં સુરતના એક વેપારીએ રામાયણ થીમ ઉપર સાડી બનાવી છે. આ સાડી અયોધ્યા મોકલવામાં આવશે અને રામલલ્લાને આ સાડી સુપરત કરવામાં આવશે. સાડીમાં રામાયણની તમામ ઘટનાઓનું વર્ણન છે. જેમાં રામજન્મથી લઈ વનવાસ, સીતાહરણ, હનુમાન મિલાપ, લંકા દહન અને અયોધ્યા વાપસીનું વર્ણન કરાયું છે.
આ સાડીમાં રામ મંદિર ની આવૃત્તિ દર્શાવવામાં આવી છે. સાથે જ રામાયણમાં ઘડેલી તમામ ઘટનાઓ અંકિત કરવામાં આવી છે. સાથે જ રામ મંદિરથી લડાઈ લડનારાથી લઈ રામ મંદિર બનાવનારાઓનો નામ પણ અંકિત કરવામાં આવ્યો છે. રામ મંદિરના ઉદ્ઘાટન હવે ગણતરીના દિવસ બાકી છે.