![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/બોટાદમાં-ક્ષત્રિય-નેતાએ-હેડ.jpg)
બોટાદમાં ક્ષત્રિય નેતાએ ચાલુ કાર્યક્રમે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ
બોટાદના પાળિયાદમાં ગઇકાલે રાત્રિસભા દરમિયાન બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે ભાષણ આપતા રાજીનામું આપી દીધુ હતું. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દિકરીઓ બાબતે કરેલ ટિપ્પણીને લઇ રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ગઈકાલે રાત્રે મોદી પરીવાર સભાનું આયોજન કરાયું હતું જેમાં ક્ષત્રિય નેતાએ રાજીનામું આપી દીધુ છે.
બોટાદ જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં પ્રદેશ ભાજપના આગેવાનો તેમજ જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં ‘મોદી પરિવાર સભા’ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે જિલ્લા ભાજપના મહામંત્રીઓની ઉપસ્થિતિમાં મોદી સભા યોજાઈ હતી. આ મોદી સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે રૂપાલાના નિવેદનના વિરોધમાં જાહેરમાં પ્રવચન કરી ક્ષત્રિય સમાજને સમર્થન આપીને જાહેરમાં ભાજપમાથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો છે.