દાંડીના દરિયા કિનારે 6 લોકો ડૂબ્યા, વહેલી સવારે માતા-પુત્રના મૃતદેહ મળ્યા બાદ અન્ય બે લોકોના પણ મૃતદેહ મળી આવ્યાં

ગુજરાત
ગુજરાત

દાંડીના દરિયામાં ડૂબેલા એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. 14 કલાકની ભારે શોધખોળ બાદ પણ તરવૈયાઓને માત્ર મૃતદેહ હાથ લાગ્યા છે. યુવરાજ અને તેની માતા સુશિલાનો મૃતદેહ વહેલી સવારે અલગ અલગ જગ્યાએથી મળી આવ્યો હતો. મરીન કમાન્ડો અને ફાયર વિભાગ દ્વારા આખી રાત શોધખોળ કરાઈ હતી. ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યે ફાર્મ હાઉસ તેમજ આશ્રમની પાછળના કિનારેથી મૃતદેહ મળી આવ્યાં હતા. જ્યારે અન્ય 2 લોકોના પણ મતદેહ મળી આવ્યાં છે.

રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયા કિનારે ફરવા માટે આવતા હોય છે, તે સમયે આ મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ત્રણ પરિવારના લોકો દરિયામાં ડૂબી ગયા હતા. ત્રણ પરિવારના છ લોકો ડૂબી જતાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. બચાવ, બચાવની બૂમો સાંભળી ત્યાં હાજર પોલીસ જવાનો મદદ માટે દોડી આવ્યા હતા અને ડૂબી રહેલા છ લોકોમાંથી બે લોકોને બચાવી લીધા હતા. ડૂબી ગયેલા લોકોમાં એક પુરુષ, બે બાળક અને એક મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, દરિયામાં ડૂબેલા લોકો મારવાડી પરિવારના છે. જ્યારે તેઓ રાજસ્થાનથી દાંડી ફરવા આવ્યા હોવાની માહિતી પણ પ્રાથમિક તબક્કે મળી રહી છે. ઘટનાને પગલે પરિવાજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.