
સુરત : સોનગઢનાનજીક નેશનલ હાઈ ST બસ, ટેન્કર અને ક્રુઝર વચ્ચે અકસ્માતમાં ૧૦ના મોત
સુરત
સોનગઢના પોખરણ ગામ પાસે નેશનલ હાઇવે નંબર ૫૩ પર બસ ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ૧૦ વ્યક્તિઓના મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.
કુશલગઠથી ઉકાઈ જતી એસટી નિગમની બસને ટેન્કર ચાલકે રોગ સાઈડે આવીને અડફેટે લીધી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ આવતી ક્રુઝર ગાડીના ચાલકે કાબુ ગુમાવતા બસની પાછળ ટકરાઈ ગઈ હતી. ટ્રિપલ એક્સિડન્ટમાં ઘટના સ્થળે લગભગ દસ વ્યક્તિઓના મોત નીપજ્યાનું કહેવાઈ રહ્યું છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને સોનગઢ અને વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક્સિડન્ટ મુદ્દે વ્યારા અને સોનગઢ પોલિસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.