પાલનપુર ઓડવાસમાં પીવાના પાણી માટે વલખાં : મહિલાઓએ પાલિકામાં રજૂઆત કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર શહેરના વિરબાઈ ગેટ ઓડવાસ વિસ્તારમાં પીવાનું પાણી ન ચડતા મહિલાઓએ પાલિકામાં રજૂઆત કરી હતી.પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના 1 થી 11 વોર્ડમાં ધરોઈ તેમજ બોર મારફતે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ પાલનપુર વિરબાઈ ગેટ ઓડવાસ વિસ્તારમા પાણી છોડવામાં આવે છે પરંતુ પાણી લોકોના ઘર સુધી પહોંચતું નથી અને બંધ થઈ જાય છે.

જેના કારણે ભાર ઉનાળામાં રહીશો ને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. જેથી સ્થાનિક મહિલાઓ પાલનપુર નગરપાલિકા પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં આવી બાબતની રજૂઆત કરી હતી. જેના પગલે ફરજ પરના અધિકારીઓ દ્વારા તપાસ કરી યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.