![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/02/8c6c2408-4095-4688-83d4-971106f6141a.jpg)
દાંતીવાડાતાલુકાના સાતસણ ગામની સીમમાં એકસાથે 4 બિનવારસી હાથી મળ્યાં, વનવિભાગે કબ્જો લીધો.
દાંતીવાડા ફોરસ્ટ વિભાગ દ્વારા ધાસચારો અને પાણી ની વ્યવસ્થા કરવામાં આવી
દાંતીવાડા પંથકમાંથી 4 હાથી બિનવારસી હાલતમાં મળી આવતાં દોડધામ મચી ગઇ છે. આજે વહેલી સવારે સાતસણ ગામની સીમમાં અચાનક 4 હાથી મળી આવતાં સ્થાનિકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. જેને લઇ દાંતીવાડા રેન્જ કચેરી ના અધિકારીઓ દોડી આવી આ હાથીઓ ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. શું આ હાથીઓ કોઈ ઈસમો દ્વારા ગામની સીમમાં વિહીકલ દ્વારા મુકીને ગયુ કે અજાણ્યાં માલિકો
થી ચારેય માદા હાથી છુટાં પડ્યાં હોવાની આશંકા થી ગામની સીમમાંથી હાથી મળ્યાં હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર એકસાથે 4 માદા હાથી તદ્દન બિનવારસી હાલતમાં મળી આવ્યાની મોટી ઘટના સામે આવી છે. દાંતીવાડા તાલુકાના સાતસણ ગામની સીમમાં આજે વહેલી સવારે 4 હાથી મળી આવતાં લોકોમાં કૃતુહલ સર્જાયુ હતુ. જેને લઇ સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરતાં દાંતીવાડા રેન્જ કચેરી ના અધિકારીઓ દોડી આવી ચારેય માદા હાથીનો કબ્જો લઇ તેમને પાણી અને ખોરાક આપી ગામમાં જ સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જોકે આ સાથે ચારેય હાથી સંપુર્ણ તંદુરસ્ત અને સુરક્ષિત રહ્યા હોઇ વનવિભાગે રાહતનો દમ લીધો હતો.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, જો વનવિભાગ દ્રારા હાથીના માલિકોની શોધખોળ હાથ ધરી છે. માદા હાથીના માલિકો નહીં મળે તો સંબંધિત જંગલ વિસ્તારમાં છોડવામાં આવી શકે છે. વન વિભાગના સુત્રો મુજબ જીલ્લા વન અધિકારીની સુચના મુજબ બનાસકાંઠા જીલ્લામાં અથવા જીલ્લા બહાર ચારેય માદા હાથીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી શકે છે. પ્રાથમિક તપાસમાં પંથકના કોઇ માલિકોથી ચારેય માદા હાથી છુટાં પડ્યાં હોવાની આશંકા બની છ.