પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પહલચહલ શરૂ થઈ ગઈ છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા છે, લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ભાજપે એક તરફ મૂરતિયા નક્કી કરવા કવાયત હાથ ધરી છે. તો બીજી તરફ કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓના રાજીનામા પડી રહ્યા છે. નારણ રાઠવાના રાજીનામા બાદ હવે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યું છે.

ભાજપ દ્વારા તો ગુજરાતમાં મૂરતિયા નક્કી કરવા માટે કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ આપ સાથે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. પરંતુ, ચૂંટણી નજીક આવી હોવા છતાં કોંગ્રેસના નેતાઓના રાજીનામાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે પૂર્વ મંત્રી નારણ રાઠવાએ રાજીનામું આપ્યા બાદ આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પણ પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યું છે.જોઈતાભાઈ પટેલ ધાનેરા સહિત આજુબાજુના વિસ્તારમાં ચૌધરી સમાજમાં પ્રભૂત્વ ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.