![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/ડીસા-તાલુકાના-કુપટ-ગામે-02-hed.jpg)
ડીસા તાલુકાના કુપટ ગામે ફાગણ વદ સાતમનો લોકમેળો ભરાશે
આ વર્ષ ૧ લી એપ્રિલ ના રોજ મેળો ભરાશે | માઈ ભક્તોમાં મેળા ને લઇ અદમ્ય ઉત્સાહ
કુપટ ગામ માં ભરાનાર મેળા ને લઇ તડામાર તૈયારીઓ શરૂ થઈ: હોળી ધુળેટીના પર્વની ઉજવણી કર્યા બાદ ડીસા પંથકમાં સાત દિવસ બાદ આવતો કુપટ ગામના શિતળા માતાજી ના મેળા ની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે ત્યારે આ વર્ષે શીતળા સાતમનો ભાતીગળ લોકમેળો તા. ૧/૪/૨૪ ને સોમવાર ના રોજ યોજાનાર છે જેને લઇ વહીવટીતંત્ર અને શીતળા માતાજી મંદિર ટ્રસ્ટ તથા કુપટ ગ્રામ પંચાયત દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શીતળા માતાજી ના મેળો ને લઇ માતાજીના ભક્તોમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ડીસા થી ૫ કિલોમીટરના અંતરે આવેલ કુપટ ગામમાં બનાસ નદીના કિનારે શિતળા માતાજીનું અતિપૌરાણિક મંદિર આવેલું છે જે દર વર્ષે ફાગણ વદ સાતમના રોજ શીતળા માતાજી નો ભાતીગળ લોકમેળા ભરાય છે જેમાં દૂરથી દુર ભાવિક ભક્તજનો માતાજી ની બાધા માનતા અને દર્શન કરવા ઉમટી પડતા હકડેઠઠ જનમેદની કૂપટ ગામ પણ હિલ્લોળે ચડે છે મેળા માં ખાણીપીણી ના સ્ટોલો સહિત વિવિધ જાતો ના ચકડોલો લાગે છે અને લોકો દિવસભર મેળા નો આનંદ માણતા હોય છે ત્યારે આ વર્ષે ફાગણ વદ સાતમ તા ૧/૪/૨૪ ને સોમવાર રોજ ભરાનાર મેળા ને લઇ પંથકના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ફાગણ વદ સાતમ ને લઇ કુપટ ગામમાં ત્રણ થી ચાર દિવસ સુધી દર્શન માટે માનવમહેરામણ ઉમટી પડે છે ફાગણ વદ સાતમ નો કુપટ ગામમાં ભરાતો શિતળા માતાજીના મેળા ને લઇ સતત ચાર થી પાંચ દિવસ સુધી માતાજી ના આખડી, માનતાઓ ,બાધાઓ પુર્ણ કરવા માઇ ભકતો ઉમટી પડે છે જેના કારણે સતત ચાર થી પાંચ દિવસ સુધી કુપટ ગામમાં માનવ મહેરામણ થી ધમધમી ઉઠે છે.
શીતળા માતાજી નો ભરાનાર મેળાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે : સરપંચ જસીબેન સોલંકી આ અંગે કુપટ ગામના સરપંચ જસીબેન બકુસિંગ સોલંકી એ કહ્યું હતું કે આ વર્ષ કુપટ ગામ નો શિતળા માતાજી નો મેળો ૧/૪/૨૩ ને સોમવાર ના ભરાનાર હોવાથી મેળામાં આવનાર ભાવિકો ને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે ગ્રામ પંચાયત સાથે યુવક મંડળ માતાજી ના સેવકો અને ગ્રામજનોના સહકાર થી પૂરતી વ્યવસ્થા કરવામાં આવનાર છે ત્યારે દરેક લોકોને મેળામાં માતાજીના દર્શન કરવા આમંત્રણ છે